રાજશ્રી શિરવાડકર (વોર્ડ નં. 172): જો ભાજપ મહિલા કાર્ડ રમે, તો આક્રમક વક્તા અને વફાદાર કાર્યકર રાજશ્રી શિરવાડકરનું નામ સૌથી મોખરે છે.
રાજકીય સમીકરણોમાં પરિવર્તન
આ ચૂંટણીમાં ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ)એ 118થી વધુ બેઠકો જીતીને બહુમતીનો આંકડો વટાવી દીધો છે. ઉદ્ધવ ઠાકરેના ગઢમાં પડેલા આ ગાબડાને કારણે મુંબઈનું રાજકારણ હવે નવા વળાંક પર છે. સ્થાનિક અસ્મિતા અને વિકાસના મુદ્દે લડાયેલી આ ચૂંટણીમાં ભાજપના ‘મરાઠી-હિન્દુ’ કાર્ડની મોટી અસર જોવા મળી છે.